ઘરમા ક્યારેય નહિ સર્જાય નાણા ની સાથોસાથ અન્ન ની અછત, બસ કરવું પડશે આ એક સરળ કામ, જાણો તમે પણ…
આપણે ઘરમાં પૂજા કરતાં હોઈએ છીએ. તેનાથી ઘરમાં શાંતિ અને સુખ મળે છે. જે લોકો ભગવાનની દિલથી પૂજા કરે તેના પર તેમના આશીર્વાદ હંમેશા રહે છે. પૂજા કરતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે છે. તેથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. ભગવાનની છબી મંદિરમાં રાખવી જોઈએ. વાસણ સાફ કરતાં હોય તે દિશામાં મંદિર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામા આવે છે.
દીવાને યોગ્ય બાજુ પર રાખવો જોઈએ. અલગ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે તો તે અપશુકન કહેવામા આવે છે. તેનાથી અન્નપૂર્ણા દેવી ખૂબ નારાજ થાય છે. દીકરીની વિદાય સમયે તેને અનાજ આપવું જોઈએ. તેથી ભગવાનની કૃપા તમારા પર રહે છે. કેટલાક લોકો નાળિયેરની પૂજા કરતાં હોય છે. તે લોકોના ઘરમાં સુખની પ્રાપ્તિ થાય છે.
જમવા બેસતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ. તેમનો આભાર માનવો કે આપણને આ સમયનું ભોજન મળી રહે છે. ઘરના કેટલાક દુખોથી બચી શકાય છે. તમારી આર્થિક અને સામાજિક આવકમાં વધારો થાય છે. પરિવારના લોકો સાથે ખુશીથી જીવન જીવી શકો છો. ઘરના લોકોને સમજવા જોઈએ. એકબીજા સાથે તાલમેલ રહે તેવું વર્તન કરવું જોઈએ.
જમતા પહેલા ભગવાનને યાદ કરવાથી તમારા જીવનમાં ધનની ક્યારેય મંદી આવતી નથી. તમારા ઘરમાં ક્યારેય અનાજ ખૂટતું નથી. તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી બને છે. ક્યારેય અનાજનો અનાદર ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ મળતી નથી. અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી અન્નનું અપમાન ક્યારેય ના કરવું જોઈએ.
કેટલાક લોકો બેડ પર બેસીને જમતા હોય છે. તે એક કુટેવ કહી શકાય. તે અન્નનું અપમાન કર્યું તેવું કહી શકાય છે. નીચે જમીન પર બેસીને જ જમવું જોઈએ. કેટલાક લોકો પ્લાસ્ટિકની ડિશમાં જમતા હોય છે. તેના કારણે શરીરમાં કેટલાક રોગો થાય છે. કેટલાક લોકો જમીને હાથ તેમાં જ સાફ કરે છે. તે ભગવાનનું અપમાન કર્યું તેવું કહેવામા આવે છે.
અનાજની દેવી અન્નપૂર્ણા છે, તેથી આપણું રસોડુ પણ હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. યમુના ગંગા જેવી નદીઓના પાણીનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. ભગવાન શિવજીની પૂજા કરવાથી ઘરમાં અનાજ ક્યારેય ખૂટતું નથી. વધેલો ખોરાક કોઈ ગરીબ ભૂખ્યા લોકોને આપવો જોઈએ.