ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 14 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.આ સીરિયલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને શોમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે.અત્યાર સુધી અક્ષરા અને અભિમન્યુ સિરિયલમાં સાથે જોવા મળતા હતા પરંતુ મેકર્સે સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આપીને બંનેને અલગ કરી દીધા છે.
સીરિયલમાં અક્ષરાને અભિનવ સાથે બતાવવામાં આવી રહી છે.આટલું જ નહીં, આખા એપિસોડ દરમિયાન બંનેના એક સાથેના સીન બતાવવામાં આવી રહ્યા છે, જે હર્ષદ ચોપરાના ફેન્સને વધુ પસંદ નથી આવી રહ્યા.આ કારણે ફેન્સ મેકર્સને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. જ્યારથી ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જય સોનીની એન્ટ્રી થઈ છે ત્યારથી હર્ષદ ચોપરાના સીન ઓછા થઈ ગયા છે.
એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી સીરિયલમાં માત્ર ગોએન્કા હાઉસની સ્ટોરી બતાવવામાં આવી રહી છે, જેમાં પ્રણાલી અને જય સોનીના વધુ સીન છે.જ્યારે આખા એપિસોડમાં હર્ષદ ચોપરાની માત્ર એક જ ઝલક બતાવવામાં આવી છે.આટલું જ નહીં, સિરિયલમાં અક્ષરા-અભિમન્યુ સાથેના દ્રશ્યો એકસાથે સમાપ્ત થઈ ગયા છે અને ‘અભીરા’ના ચાહકોને આ વાત પસંદ નથી આવી. સિરિયલના ફેન્સ ટ્વિટર પર મેકર્સ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આગામી એપિસોડમાં અક્ષરા કૈરવ પર પોતાનો ગુસ્સો ઠાલવશે.સીરિયલમાં જોવા મળશે કે અક્ષરા ગોએન્કા ઘરે પહોંચ્યા પછી, કૈરવ મોડી રાત્રે ઘરે આવે છે અને ગેટ પર જ અભિનવને મળે છે.આ દરમિયાન તે અભિનને દૂર રહેવાની સલાહ આપે છે, જે અક્ષરાને ગુસ્સે કરે છે.તે કૈરવને સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ તેના પતિ અને બાળક પર ગુસ્સે થશે. તેણી તેની તરફ પાછું વળીને પણ જોશે નહીં.