એર ઇન્ડિયા પછી હવે બીજી એક વધુ સરકારી કંપની રતન ટાટા ખરીદવાના છે. આ વર્ષ દરમિયાન રતન ટાટા આ કંપની ખરીદી કરી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં રતન ટાટાએ આ કંપની ઉપર 12100 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
આ કંપની ખૂબ જ નુકસાન માં ચાલી રહી છે અને રતન ટાટા તેમનું અધિકરણ કરી શકે તેમ છે. 1 વર્ષ પહેલા સરકારી એર ઇન્ડિયા રતન ટાટા એ ખરીદી લીધી હતી.
આ કંપનીનું નામ નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ છે. આ કંપની અધિકરણ રતન ટાટા કરશે. ટાટા કંપનીના સીઇઓ આ વાત મીડિયા સમક્ષ રાખી હતી. તેમજ આ કંપની માટે તેમને 12100 કરોડ સૌથી વધુ બોલી લગાવી હતી.
થોડા સમયમાં રતન ટાટા કંપની ના નવા માલિક બનશે
ટાટા કંપનીના સીઈઓ જણાવ્યું છે કે, આ વર્ષ દરમિયાન સૌથી વધુ કિંમત ચૂકવીને અમે આ કંપની ખરીદી લીધી છે. અને થોડા જ સમયમાં તેને ઓફિસિયલ કાર્યવાહી પૂરી કરવામાં આવશે.
આ સરકારી કંપની ખૂબ જ નુકસાન માં ચાલી રહી છે તેમ જ 31 માર્ચ ના રોજ ૬૬૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ તેનું દેવું બાકી બોલી રહ્યું છે.