બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના આજે આપણા વચ્ચે રહ્યા નથી પરંતુ તેમને આપણે કેટલીક ફિલ્મોના માધ્યમથી આજે ફરીથી જોઈ શકીએ છીએ. રાજેશ ખન્ના ખુબ જ સુંદર એક્ટર હતા. તેમને પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ સુપરહિટ મૂવી આપી છે. આજે રાજેશ ખન્ના ને દેશના તમામ લોકો ઓળખે છે. આજે ભલે રાજેશ ખન્ના આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ લોકો તેમના જિંદાદિલ સ્વભાવને આજે પણ મુવી માં નિહાળી રહ્યા છે.
એટલું જ નહીં રાજેશ ખન્ના હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવી રહ્યા છે. તેમજ રાજેશ ખન્નાના જીવન સાથે જોડાયેલ કેટલાક કિસ્સાઓ આજે પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આજે અમે તમને રાજેશ ખન્ના ના કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે એક સમયે અડધી રાતે નોકરાણી ના ઘરે પહોંચી ગયા હતા.
રાજેશ ખન્ના એક સુંદર અભિનેતા અને એક દયાળુ વ્યક્તિ છે. જ્યારે રાજેશ ખન્નાને માહિતી મળી કે તેમના ઘરે કામ કરતી નોકરાણી ની બહેન ને હૃદયમાં કંઈક પ્રોબ્લેમ છે તો તેનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લઈ લીધો હતો. ફક્ત એટલું જ એમની નોકરાણી ને ત્રણ મહિના સુધી તેમની બેન ની સેવા કરવા માટે રજા આપવામાં આવી હતી જેનો કોઈ પગાર કાપવામાં આવ્યો ન હતો.
આ વાતની જાણ જ્યારે રાજેશ ખન્નાને થાય છે ત્યારે રાજેશ ખન્ના પોતાના ડ્રાઇવરને ફોન કરે છે અને છ મહિનાનું રાશન લઈને નોકરાણી ના ઘરે પહોંચી જાય છે. અને તેને 6 મહિના સુધી ખાવાનું ચાલી રહે તેટલું રાશન ભરી આપે છે.