હનુમાન જયંતિની શોભાયાત્રામાં ભારતમાં અનેક વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. જો વાત કરવામાં આવે દિલ્હીના જહાંગપુરી વિસ્તારમાં પણ પથ્થરમારો જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘટના હિંસક રૂપ ધારણ કર્યું હતું જેમાં આઠ પોલીસ કર્મીઓ સહિત બીજા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તેમજ અસામાજિક તત્વો દ્વારા કેટલીક તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસે વધુ તપાસ દરમિયાન ૨ કિશોર અને અન્ય 23 લોકોની અટકાયત કરી ધરપકડ કરી દીધી છે આ મામલે વધુ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ આ મામલે જહાંગીરપુરા હિંસા માટે રોહિંગ્યા ઇસ્લામી ધર્મના લોકોનો હાથ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
કોણ છે આ રોહિંગ્યાં મુસલમાન
હનુમાન જયંતીના દિવસે ઉપર દિલ્હીમાં થયેલા પથ્થરમારામાં ભાજપાએ ગેરકાયદેસર બાંગ્લાદેશે તેમજ અસામાજિક તત્વોને મુખ્ય ગુનેગાર ઠેરવ્યા છે.
ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી ઉપર કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે અને આના પાછળ આમ આદમી પાર્ટી નો હાથ હોય તેવું કહેવામાં આવ્યું છે.
ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું cbi ,પોલીસ નિષ્પક્ષ તપાસ કરાવવી જોઇએ.
દિલ્હીના જહાંગીરપુરી માં શું ખરેખરમાં રહે છે આ રોહિંગ્યા મુસલમાન
ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં જહાંગીરપુરા આવેલ છે. એશિયાની સૌથી મોટી સબ્જીમંડી આઝાદપુર નજીક આ સ્થિત છે. અહીંયા દરેક જાતિના લોકો રહે છે.
અહીંયા સૌથી મોટું સબ્જીમંડી હોવાથી મોટાભાગના લોકો ફળ અને શાકભાજી સાથે જોડાયેલા છે. અહીંયા મોટાભાગના નિમ્ન મધ્યમ વર્ગના લોકો રહે છે તેમજ કેટલું ઝૂંપડપટ્ટીઓ પણ આવી જોવા મળે છે. જહાંગીરપુરા વિસ્તારમાં ટોટલ ૮ પાડવામાં આવેલા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બ્લૉક c અને બ્લોક h 2 માં સૌથી વધુ મુસલમાનો રહે છે. તેમજ આ બાંગ્લાદેશી મુસલમાનોની સંખ્યા પણ ખૂબ વધુ જોવા મળે છે.જેમાંથી અનેક રોહિંગ્યા હોવાનો દાવો છે. તેમની ટોટલ સંખ્યા હજુ સુધી કોઈને ખબર નથી.
કોણ છે આ રોહિંગ્યા મુસલમાન
રોહિંગ્યા મુસલમાન સ્ટેટ લેસ અને રાજ્ય વિહીન પ્રજાતિ છે. તે કોઈપણ જગ્યાએ પોતાનો વસવાટ કરી અને ગુજરાન ચલાવતી હોય છે.
આ દરેક લોકોને મ્યાનમાર થીં હિંસા કરી બહાર કરી દેવામાં આવ્યા હતા અને 2017માં તેમનો આંકડો લગભગ ૧૪ લાખ જેટલો છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2015 પછી ત્યાંથી ૯ લાખથી વધુ લોકો ભારતમાં શરણાર્ગતિ આવ્યા હતા.
દિલ્હીમાં અનેક જગ્યાએ તેમના વસવાટ
મોટાભાગના તે લોકો દિલ્હીમાં જોવા મળે છે. તેમજ દિલ્હીમાં તેમની સંખ્યા સૌથી વધુ છે અને તે જશોદા યમુના નદી કિનારે, શ્રમ વિહાર અને સાઉથ દિલ્હીમાં પોતાનો વસવાટ કરે છે.
ભારતમાં કેટલા છે રોહિગ્યા મુસલમાનો
2012 પછી તેમની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ગૃહ મંત્રાલય અનુસાર તેમની સંખ્યા આજે ૧૮ લાખથી પણ વધુ હોવાનો આંકડો સામે આવ્યો છે
ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવશે નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી નકલી દસ્તાવેજ નો ઉપયોગ કરીને કેટલાક બાંગ્લાદેશ અને ભારત આવવાનું ખૂબ જ મોટા પાયે રેકેટ ચાલી રહ્યું છે તે માટે ભારત સરકાર દ્વારા ખુબ જ વધુ પગલા લેવાઈ રહ્યા છે.
આ લોકોનું સીધું કનેક્શન છે આ તંકવાદ જોડે?
બીએસએફ ના ડીજી મીડિયા સાથે વાતચીત કરતાં 2018માં જણાવ્યું હતું કે આ લોકોને ભારતમાં રહેવા દેવા મતલબ ભારતની સુરક્ષા માટે ખૂબ જ હાનિકારક છે.