ધો.9 થી 12ના એકમ કસોટીના પેપર હેવ જે તે શાળાએ પોતાની રીતે જ કાઢવું પડશે. આની શિક્ષણમંત્રીએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે.
રાજ્યની 18 હજારથી વધુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટીનો ફાયદો મળશે.
ધો.9થી12ની એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમ ટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં યોજવાનું આયોજન કર્યું હતું.
જો કે એકમ કસોટી પેપરો અત્યાર સુધી ગુજરાત શિક્ષણ વિભાગના બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો લેવામાં આવાતાં હતાં. પરંતુ જેમાં અનેક વિવાદો ઉભા થયા હતા.
ઘણી સ્કૂલોએ વિરોધ પણ દર્શાવ્યો હતો. અંતે સરકારે મહત્વનો નિર્ણય કરતા હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12ની માસવાર એકમ કસોટીઓ શાળા કક્ષાએ જ લેવાની રહેશે.
આમ શાળા કક્ષાએ પરીક્ષા લેવાથી હવે પેપર લીક થવાના પ્રશ્નો નહીં રહે. રાજ્યમાં હાલ 18 હજાર જેટલી ધો.9થી12ની સ્કૂલો છે અને જેમાં 9થી12ના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.