મુબઈ માં હુમલો કરના ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને થઈ નુકશાની, તેમનો પુત્ર તલ્હાને પણ આતંકવાદી કર્યો જાહેર…

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, તલ્હા લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ નેતા અને મૌલવી વિંગનો વડા હતો. ખાસ વાત એ છે કે તલ્હા વિરુદ્ધ આ કાર્યવાહી એવા દિવસે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને પણ 31 વર્ષની જેલની સજા સંભળાવી છે.

 

ગૃહ મંત્રાલયે તલહાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ, 1967ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. સૂચના અનુસાર, તલ્હા સઈદ “ભારત અને અફઘાનિસ્તાનમાં ભારતના હિતો પર ભરતી કરવામાં, ભંડોળ એકત્ર કરવામાં, આયોજન કરવામાં અને હુમલાની યોજના બનાવવામાં સક્રિય રીતે સામેલ હતો.”

 

નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે તલ્હા સઈદ પાકિસ્તાનમાં એલઈટીના કેન્દ્રોની મુલાકાત લેતો હતો અને ઉપદેશો દરમિયાન ભારત, ઈઝરાયેલ, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં ભારતીય હિતો વિરુદ્ધ જેહાદનો પ્રચાર કરતો હતો. નોટિફિકેશન મુજબ, “કેન્દ્ર સરકારનું માનવું છે કે હાફિઝ તલ્હા લૈદ આતંકવાદમાં સામેલ હતો અને હાફિઝ તલ્હા સઈદને કાયદા હેઠળ આતંકવાદી તરીકે સૂચિત કરવામાં આવે.”

 

ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં UAPAમાં સુધારા કર્યા હતા. આ પછી કાયદામાં એક જોગવાઈ ઉમેરવામાં આવી હતી, જેના હેઠળ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાય છે. અગાઉ માત્ર સંગઠનોને જ આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરી શકાતા હતા. સુધારા બાદ મંત્રાલયે UAPA એક્ટની જોગવાઈઓ હેઠળ 9 લોકોને નિયુક્ત આતંકવાદી જાહેર કર્યા હતા.

Leave a Comment