કોરોના દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. કોરોના વાયરસથી ફરી એકવાર દેશભરમાં છવાયેલો છે. પહેલા કરતાં લોકો તેનાથી વધુ ચેપ ગ્રસ્ત છે. જ્યારે કોરોના હોય ત્યારે વિવિધ લક્ષણો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકોને ટેસ્ટ ન આવવો અને ગંધ ન આવવી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
દર્દીના ઈલાજ થયા પછી પણ કેટલાક લોકોને આ સમસ્યા ચાલુ રહે છે. આ દરમિયાન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાનાં નવા રોગચાળાનાં લક્ષણો દર્શાવ્યાં હતાં. નેચર મેડિસિન દ્વારા પ્રકાશિત આ અધ્યયન વર્ણવે છે કે કોરોનાના અડધા દર્દીઓ આ મૌખિક લક્ષણોથી કેવી રીતે પીડાય છે.
જોકે કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે આવા લક્ષણો ચેપને કારણે પણ થઈ શકે છે. હવે અહીં સમસ્યા એ છે કે ઘણા લોકો આ લક્ષણોને હળવાશ માં લઈને અવગણે છે. પરંતુ વાસ્તવિકતામાં આ મૌખિક લક્ષણો પણ કોરોના ના લક્ષણો હોઈ શકે છે. શ્વાસ માં દુર્ગંધ આવવી : શ્વાસ માં દુર્ગંધ આવવી એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત મોં પણ સુકાઈ જાય છે. વ્યક્તિ તેને સરળતાથી અવગણે છે.
પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે કોરોનાથી પણ સંબંધિત હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમારા મોંનો સ્વાદ પણ ચાલ્યો જાય. જીભમાં બળતરા અથવા સોજો: સંશોધન મુજબ કેટલાક કોરોના દર્દીઓમાં જીભ બળી જવાની અથવા સોજો થવાના લક્ષણો પણ જોવા મળ્યા છે. આની સાથે શરીર પર હળવી ફોલ્લીઓ પણ થાય છે.
આ ચિહ્નોને અવગણવાની ભૂલ ના કરો. જીભ પર સફેદ ફોલ્લીઓ દેખાય અથવા જીભ લાલ થાય તે પણ કોરોનાનું ચિન્હ હોઈ શકે છે. જો જીભ ઘાટી થઈ જાય, તો તમારે કોરોનાની તપાસ કરાવવી જોઈએ. હોઠમાં કળતર અને વર્તનમાં ફેરફાર જેવી વસ્તુઓ પણ જોવા મળી શકે છે. હોઠનું સુકાઈ જવું એ પણ વાયરલ ચેપનું સંકેત હોઈ શકે છે.
આમાં, મોઢાની અંદર ઓછી લાળ ઉત્પન્ન થાય છે. તેનાથી મોઢાની ચિકાસ પણ ઓછી થાય છે. તમારે આવા સંકેતને સમજવું જોઈએ અને બેદરકાર ન થવું જોઈએ. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો તરત જ તમારી કોરોના તપાસ કરાવો. અત્યારે વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે, થોડીક બેદરકારી પણ પાછળથી મોટી સમસ્યા બની શકે છે.