હાલ જ ટોક ઓફ ધ ટાઉન કીશન ભરવાડ હત્યા ના મામલો છે. જેમા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની પીડીત પરિવાર ની મુલાકાત લીધી હતી.
બાદમાં હર્ષ સંઘવી એ પીડિત પરિવાર ના ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. અને બાદ મા તપાસનો દોર શરુ થયો હતો અને ગણતરી ની કલાકો મા જ બે આરોપીઓ ના ઝડપી પડાયા હતા અને સમગ્ર ષડયંત્ર બહાર આવ્યુ હતુ.
આ હત્યા કેસ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે તપાસની વિગતો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
તેમણે કહ્યું કે, આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી તેને પાઠ ભણવવો છે, મને હથિયારની વ્યવસ્થા કરી આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.
આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે.
મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની પણ ધરપકડની કામગીરી ચાલુ કરવામા આવી છે.
આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે મૃતક કીશન એ 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ શેર કરી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી કરાઈ હતી.