સુનીલ ગ્રોવરે ભવિષ્યમાં તેના જૂના મિત્ર કપિલ શર્મા સાથે કામ કરવાની સંભાવના વિશે થોડી વાત કરી હતી . થોડા વર્ષો પહેલા બંને મિત્રો વચ્ચે જાહેર માં ઝઘડો થયો હતો, ત્યારપછી બંને અલગ-અલગ થઈ ગયા હતા. કપિલ શર્મા ના ચાહકો તેના વાપસીનો આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ની મોટી સફળતા પછી બંને ઘરના પ્રખ્યાત ચહેરાઓ બની ગયા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કપિલ શર્મા શોના ફેન્સ હવે ફરીથી ખડખડાટ હસતાં થઈ જશે. કેમ કે, એક નવા ઉત્સાહ, એનર્જી અને ક્રિએટીવીટી સાથે કપિલ શર્મા શોની ધમાકેદાર શરૂઆત થશે.
અને જાણવા મળી રહ્યું છે કે આ શોમાં ફરીથી સુનિલ ગ્રોવરની એન્ટ્રી થશે. કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન થઈ ગયું છે એવું અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે.
આજે જ સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતી વખતે સુનીલને પૂછવામાં આવ્યું કે તે કપિલ વિશે શું માને છે અને શું તે ફરીથી સાથે કામ કરવા માંગશે? સુનીલે આ સવાલના જવાબમાં કહ્યું, ‘હાલમાં સાથે મળીને કામ કરવાની કોઈ યોજના નથી, પરંતુ જો અમને કોઈ દિવસ કંઈક કરવાની તક મળે છે, તો આપણે બંને ચોક્કસ મળીને કામ કરીશું.’
હવે સુનીલ ગ્રોવરે બોલીવુડમાં સંપૂર્ણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેણે કપિલ શર્માને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી.
કપિલે આ ટ્વીટ જોયા પછી તેની પ્રતિક્રિયા પણ આપી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ગિન્ની અને કપિલ બીજી વખત માતા-પિતા બન્યા હતા. વર્ષ 2017 માં કપિલ અને સુનિલ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ પછી બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત થઈ નહોતી, પરંતુ હવે બંનેએ આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ વિવાદ બાદ તેઓ વર્ષ 2019 ની એક ઇવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા છે.
વર્ષ 2020 માં એક કાર્યક્રમમાં કપિલે કહ્યું હતું કે ‘જે નાની નાની ઘટનાઓ બને છે તે સંબંધોને સમાપ્ત કરતી નથી. સુનીલ એક સુંદર કલાકાર છે. જ્યારે પણ હું વિવિધ કલાકારો સાથે કામ કરું છું, ત્યારે મને લાગે છે કે ઘણું શીખવાનું છે. મેં સુનિલ પાસેથી ઘણું શીખ્યું છે અને જો મને ભવિષ્યમાં સાથે કામ કરવાની તક મળશે તો તે ખૂબ આનંદની વાત હશે.