હિન્દુ પૌરાણિક કથાઓમાં ઘણા વરદાનો અને શ્રાપનું વર્ણન જોવા મળે છે. જ્યાં સુધી શ્રાપની વાત છે તો તેની પાછળ કોઈ રહસ્ય અથવા કારણ જોવા મળે છે. શ્રાપ ભવિષ્યની ઘટનાઓનું સંચાલન કરે છે.
આજે અમે તમને 10 પ્રમુખ શ્રાપ વિશે જણાવીશું કે જેની ખૂબ ચર્ચા કરવામાં આવી છે અને જેના કારણે ઇતિહાસમાં ઘટનાઓ શ્રેણીબદ્ધ રીતે નિર્મિત થઇ.
શ્રીરામને મળ્યો શ્રાપ: ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવતા શ્રીરામને અપ્સરા દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. તે અપ્સરા વાલી વનારની પત્ની હતી.
જ્યારે શ્રી રામના પ્રિય મિત્ર સુગ્રીવ વણારે ભગવાન રામની મદદ લીધી હતી, જેના કારણે સુગ્રીવ અને વાલી વચ્ચે યુદ્ધ થયું હતું.
જેમાં ભગવાન શ્રીરામના તીરથી વાલીનું મોત થયું હતું.વાલીની હત્યા કપટથી થઈ છે તે જાણીને તેમની પત્ની તારાએ શ્રીરામને શ્રાપ આપ્યો. શ્રાપ મુજબ ભગવાન રામ ટૂંક સમયમાં તેમની પત્ની સીતાને ગુમાવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે તે આગલા જન્મમાં તેમના પતિ દ્વારા જ મરશે. પછીના જીવનમાં, ભગવાન વિષ્ણુનો જન્મ શ્રી કૃષ્ણ તરીકે થયો હતો અને વાલીનો અવતાર શિકારી તરીકે થયો,ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.
ગાંધારીનો શ્રી કૃષ્ણને શ્રાપ: મહાભારત યુદ્ધ પછી, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગાંધારીને પુત્રોનો વિનાશ જોઈને તેમને આશ્વાસન આપવા પહોંચ્યા, ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ પાંડવો અને કૌરવો પરસ્પર વિભાજનને કારણે નાશ પામ્યા હતા, તેવી જ રીતે તમે અને તમારા બંધુઓ પણ નાશ પામશો.
નારદજીનો ભગવાન વિષ્ણુને શ્રાપ: એકવાર શિવપુરાણ અનુસાર દેવઋષિ નારદ પણ શ્રીલક્ષ્મીના સ્વયંવરમાં પહોંચ્યા કારણ કે તેઓ શ્રીલક્ષ્મીથી મોહિત થયા હતા.
તે જ સ્વયંવરમાં ભગવાન વિષ્ણુ પણ પહોંચ્યા હતા, પરંતુ તેમણે પોતાની માયાથી દેવર્ષિ નારદનો ચહેરો વાનર જેવો કરી દીધો હતો.
નારદજીને છોડીને શ્રીલક્ષ્મીએ ભગવાન વિષ્ણુનું વરણ કરી લીધું. જ્યારે નારદ મુનિને આ વાતની ખબર પડી, ત્યારે તે ભગવાન વિષ્ણુ પર ખૂબ ગુસ્સે થયા અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જેમ તમે મને સ્ત્રી માટે વ્યથિત કર્યા છે.
તે જ રીતે, તમે પણ સ્ત્રી વિરહનું દુઃખ અનુભવ કરશો. તેમના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર કરવો પડ્યો અને તેમણે આ શાપ પૂર્ણ કર્યો. તેમ છતાં રામાવતારમાં પણ તેમને ફરી એક શ્રાપ મળ્યો.
નંદીનો રાવણને શ્રાપ: વાલ્મિકી રામાયણ અનુસાર, એકવાર રાવણ ભગવાન શંકરને મળવા કૈલાસ ગયા હતા. નંદિજીને ત્યાં જોઇને તે તેના દેખાવ પર હસી પડ્યો અને તેમનું મુખ વાનર જેવું કહ્યું.ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો કે તમારો વિનાશ પણ વાનરોના કારણે જ થશે.
બ્રાહ્મણ દંપતીનો રાજા દશરથને શ્રાપ : વાલ્મિકી રામાયણ અનુસાર, એકવાર રાજા દશરથ જંગલમાં શિકાર કરવા ગયા હતા, ત્યારે તેણે આકસ્મિક રીતે એક પિતૃ ભક્ત શ્રવણ કુમારની હત્યા કરી હતી. તે શ્રવણ કુમારના માતાપિતા અંધ હતા.
જ્યારે તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તેણે રાજા દશરથને શ્રાપ આપ્યો કે જેમ અમે પુત્રના વિયોગમાં અમારા જીવનનો ભોગ આપી રહ્યા છીએ, તેવી જ રીતે તમારું મૃત્યુ પણ પુત્રના વિયોગના કારણે થશે.