સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: ગ્રીષ્મા વેકરિયા ગળું કાપીને હત્યા કરનાર એકતરફી ફેનીલથી છુટકારો મેળવવા અગાઉ 7 વાર સમાધાન કરાયું હતું.

ગ્રીષ્માની હત્યાને લઈને પરિવાર દ્વારા ન્યાયની માંગ – સમાજમાં બદનામીના ડરથી ફેનીલ સામે ફરિયાદ નોંધવામાં આવી નહોતી. કામરેજના પાદરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ 20 વર્ષના યુવાને 21 વર્ષીય યુવતીને જાહેરમાં ગળું કાપીને રહેંસી નાખી હતી.

આરોપીએ ગ્રીષ્મા ની માતા અને ભાઈ ની આંખો સામે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

જાહેરમાં ઘટના બનતા અને હત્યાનો વીડિયો વાયરલ થતાં માત્ર સુરત જ નહીં પરંતુ આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી ગ્રીષ્માને બચાવવા માટે પરિવાર દ્વારા અગાઉ સાત વાર સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

જોકે એ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા પરંતુ ગ્રીષ્મા પરિવારે સમાજના ડરથી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી જેનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હતું.

યુવતીની કરપીણ હત્યા કર્યા બાદ ફેનિલે પોતે પણ આપઘાતનો પ્રયત્ન કરતાં એને સ્મિમેરમાં દાખલ કરાયો – ગ્રીષ્માની હત્યા થઈ એ પહેલા આરોપી ફેનિલ સતત એને હેરાન કરતો હતો, જેથી ફેનિલથી છુટકારો મેળવવા પરિવાર પ્રયત્ન કરી રહ્યો હતો.

ફેનિલને સાત વાર પરિવાર તરફથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેતા, ગ્રીષ્માના પરિવારના જનોએ જણાવ્યું હતું કે, સમાજમાં પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા

દીકરીની હત્યાથી પરિવારજનોને ઉંડો આઘાત લાગ્યો – જો ફરિયાદ કરવામાં આવી હોત તો ગ્રીષ્મનો જીવ બચી ગયો હોત. દરેક પરિવારના સભ્યો આરોપીને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ બદનામીના થવાના ડરથી ફરિયાદ ન નોંધવાના કારણે પોતાની દીકરી ગુમાવી છે.

સુરતની આ અતિસંવેદનશીલ ઘટના તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે, દીકરીઓને રંજાડતા, હેરાન કરતા આવા અસામાજીક તત્વો સામે શરમમાં મૂકાયા વગર, હિંમત રાખીને પોલીસ ફરિયાદ નોંધાવીને સબક શીખવાડવો જોઈએ.

Leave a Comment