દિવાળી એક એવો તહેવાર છે જેનો ઇંતજાર બધા ને હોય છે. દીવાઓની રોશની વચ્ચે આ તહેવાર ઉજવવાનો દરેકને ઉત્સાહ છે. બધાના ઘરે દિવાળીની તૈયારી ઘણા દિવસ પહેલાથી ચાલુ થઇ જાય છે. જો તમે અત્યાર સુધી કોઈ તૈયારી કરી નથી તો ચિંતા કરવાની કોઈ વાત નથી. આ વાસ્તુ ટિપ્સની મદદથી તમે તેને સરળતાથી શરૂ કરી શકો છો. જેના કારણે ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.
દિવાળીની સફાઈ – વાસ્તુ નિષ્ણાતોના મતે સ્વચ્છતા એ સુખી ઘરનું પહેલું પગથિયું છે. દિવાળી પહેલા આખા ઘરની સફાઈ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના દરેક ખૂણાને સાફ કરવાથી નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. એટલા માટે દિવાળીમાં ઘરનો કોઈ પણ ભાગ સાફ સફાઈ થી ના છુટવો જોઈએ. વાસ્તુ ટિપ્સ અનુસાર રસોડું હોય કે સ્ટોર રૂમ દરેક જગ્યાએ સારી રીતે સાફ કરવું જોઈએ.
કચરો ઘરની બહાર કાઢો – ઘરમાં વધારે સામાન રાખવો એ સારું માનવામાં નથી આવતું ખાસકરીને જયારે તે યોગ્ય સ્થિતિમાં ન હોય. કહેવામાં આવે છે કે ઘર જેટલું અવ્યવસ્થિત રહે છે, સકારાત્મક ઉર્જા એટલી જ ઓછી આવે છે. દિવાળી પહેલા ઘરમાંથી કચરો, તૂટેલા ઇલેક્ટ્રોનિક્સ, તૂટેલી ક્રોકરી અને તમે છેલ્લા 6 મહિનાથી ઉપયોગ માં ના લીધી હોય તેવી વસ્તુઓ કાઢી નાખો. જો ઘરમાં તૂટેલા કાચ હોય તો તેને પણ દૂર કરો કારણ કે તેને વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે.
મુખ્ય દરવાજો સાફ કરો – વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમારું પ્રવેશદ્વાર જ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીમાં ના પગના નિશાન લગાવવામાં આવે છે. પરંતુ તે પહેલા તેમને આવકારવા માટે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવો. દિવાળીના દિવસે ઘરનો કોઈ ખૂણો અંધારામાં ન રહેવો જોઈએ.
દિશાઓનું રાખો ધ્યાન – વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખાસ મહત્વ હોય છે. ઘરની ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાની વિશેષ સફાઈ કરો અને ત્યાંથી અવ્યવસ્થિત સમાન ને દુર કરો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધી આવે છે. હરિયાળી પણ ઘરમાં સકારાત્મકતા લાવે છે. વાસ્તુમાં પૂર્વ અને ઉત્તર દિશાઓની વચ્ચે હળવા અને નાના છોડ રાખવાની સલાહ આપવામાં આવે છે. ધન લાભ માટે ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ.
મીઠા ના પાણી નો છંટકાવ કરો – સ્પ્રે બોટલમાં થોડું મીઠું અને પાણી મિક્સ કરીને આખા ઘરમાં છાંટો. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરના દરેક ખૂણામાં મીઠાના પાણી નો છંટકાવ કરવો, એ ખાસ કરીને દિવાળી પર સારું થાય છે. એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે.
સમૃદ્ધિ માટે ઘરને ને રોશન કરો – જ્યારે તમે તમારા ઘરને રોશની આપવાનું વિચારી રહ્યા હોવ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશાઓનું ચોક્કસ ધ્યાન રાખો. બજારમાં અનેક રંગબેરંગી લાઈટો ઉપલબ્ધ છે. તમે એમાંથી રંગીન લાઇટ્સ, બલ્બ્સ, ડિઝાઇનર લેમ્પ પસંદ કરી શકો છો. ઘરની ઉત્તર દિશાને સજાવવા માટે વાદળી, પીળી અને લીલી લાઇટનો ઉપયોગ કરી શકાય છે. બીજી તરફ દક્ષિણ દિશા માટે સફેદ, જાંબલી અને લાલ લાઇટ સારી માનવામાં આવે છે. પૂર્વ દિશાને લાલ, પીળો અને નારંગી જેવા શુભ રંગોથી શણગારો. તે જ સમયે, પીળી, નારંગી અને ગુલાબી લાઇટથી પશ્ચિમ દિશાને પ્રકાશિત કરો.