એક અભ્યાસ મુજબ કોરોના વાયરસ ની માહિતી ચોકાવનારી સામે આવી છે. અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, આ જીવલેણ વાયરસ કોઈ નોટ (કરન્સી), ફોન સ્ક્રીન અથવા સ્ટેનલેસ સ્ટીલ પર 28 દિવસ સુધી જીવી શકે છે અને તેનાથી કોઈ પણ વ્યક્તી ને ચેપ લાગી શકે છે. અભ્યાસ ચોંકાવનારો એટલા માટે છે કારણ કે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે સપાટી પર તેના અસ્તિત્વનો સમય મહત્તમ એક અઠવાડિયાનો જ હતો. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.
એવું જાણવામાં આવ્યું છે કે કોરોના તેના વિચારો કરતાં વધુ દિવસ જીવી શકે છે. સમગ્ર દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી છે. દુનિયામાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 4 કરોડથી પણ વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 10 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 80 લાખથી વધારે કેસ સામે આવ્યા છે.
જ્યારે 60 લાખથી વધારે દર્દીઓ આ વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ વચ્ચે એક રિસર્ચમાં કહેવાયું છે કે કોરોના વાયરસ બેંકની નોટ અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ પર ઠંડી અને ડાર્ક પરિસ્થિતિમાં 28 દિવસ સુધી જીવતો રહી શકે છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સીએ આ વાત કહી.
વાયરોલોજી જર્નલમાં પબ્લિશ આ રિસર્ચમાં ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી CSIROના રિસર્ચરોએ કહ્યું કે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર SARS-COV-2 વાયરસ પ્લાસ્ટિક બેંક નોટ અને મોબાઈલ ફોનની સ્ક્રીન પર 28 દિવસ સુધી સક્રાંમક બની રહે છે. તેની તુલનામાં Influenza A વાયરસ સપાટી પર 17 દિવસ સુધી જીવતો રહી શકે છે.
આ રિસર્ચ 20,30 અને 40 ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે, જેમ જેમ તાપમાન વધે છે કોરોના વાયરસના જીવિત રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. CSIROના સીઈઓ લૈરી માર્શલે એક નિવેદનમાં કહ્યું, કોરોના વાયરસ કેટલા સમય સુધી સપાટી પર જીવતો રહે છે, તેની જાણ થવાથી હવે તેના જીવિત રહેવાનું સ્પષ્ટ અનુમાન લગાવવા, તેના પ્રસારને રોકવા અને નાગરિકોની રક્ષા કરવામાં મદદ મળશે.
રિસર્ચરોએ સોમવારે કહ્યું કે, CSIROના ડિસીઝ પ્રીપેડનેસ સેન્ટરના રિસર્ચરોએ આ વાતનું પરિક્ષણ કર્યું કે, અંધારામાં ત્રણ ડિગ્રી સેલ્સિયત તાપમાન પર SARS-CoV-2 વાયરસ કાચ (ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિરની બેંક નોટ પર ‘ઝડપથી ફેલાય’ છે અને 28 દિવસ સુધી જીવતો રહી શકે છે.30 ડિગ્રી તાપમાન પર વાયરસના જીવતા રહેવાની સંભાવના ઘટીને સાત દિવસ થઈ જાય છે. જ્યારે 40 ડિગ્રી તાપમાન પર વાયરસ માત્ર 24 કલાક સુધી જ જીવિત રહી શકે છે.
રિસર્ચરોએ જણાવ્યું કે, શરીરની અંદર પ્રોટીન અને ફેટ વાયરસના જીવિત રહેવાની ક્ષમતાને વધારે છે. ઓસ્ટ્રેલિયાના સેન્ટર ફોર ડિસીઝના વૈજ્ઞાનિક ટ્રેવોર ડ્રીવે કહ્યું, આ રિસર્ચ કોરોના વાયરસના સતત ઠંડી પરિસ્થિતિમાં જીવતા રહેવા અને પ્રસારના કારણને સમજવામાં મદદ કરશે. સાથે જ આ આપણને સારી રીતે કેવી રીતે કોરોના વાયરસથી લડવું, તે સમજવામાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ અન્ય સમૃદ્ધ દેશોની તુલનામાં કોરોના વાયરસ સામે સારી રીલે લડાઈ લડી છે. દેશની અઢી કરોડની વસ્તીમાં માત્ર 27 હજાર કેસ આવ્યા છે અને 898 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે કોરોનાના કેસ વિક્યોરિયા રાજ્યમાં આવ્યા છે. ઘણા અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે.