ભગતસિંહ શહીદ-એ-આઝમ પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે, ત્યાં ના રેહવાશી કોણ છે અને ઘર ની હાલત કેવી છે જાણો?…

જ્યારે પણ ભારતની આઝાદીની વાત થાય છે ત્યારે દરેકના મગજમાં શહીદ-એ-આઝમ ભગતસિંહનું નામ આવે છે . તેમણે આઝાદીની લડાઈમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસે 23 માર્ચ 1931ના રોજ, ભગત સિંહ , રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટિશ સરકારે ભગતસિંહને ફાંસી આપીને આપણી પાસેથી છીનવી લીધા, પરંતુ તેઓ આજે પણ દરેકના મનમાં જીવંત છે.

ભગતસિંહના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સરહદ પાર પાકિસ્તાનમાં પણ છે. તેમનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે. શહીદ-એ-આઝમનો જન્મ આ ઘરમાં થયો હતો. અહીં ભગતસિંહનું બાળપણ વીત્યું હતું. આ હવેલી પંજાબ પ્રાંતના ખટકરકલાન ગામમાં આવેલી છે. પૈતૃક ઘર ખટકરકલન ગામ ફગવાડા-રોપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સબ-ડિવિઝન બંગાથી ત્રણ કિલોમીટર દૂર છે.

પુરાતત્વ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા મકાનના સમારકામની કામગીરી કરવામાં આવી છે અને તેની દેખરેખ પણ કરવામાં આવે છે. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે તેમની માતા વિદ્યાવતી અને પિતા કિશન સિંહ અહીં રહેવા લાગ્યા. કિશન સિંહનું અહીં અવસાન થયું હતું અને ભગત સિંહે વર્ષ 1975માં દુનિયાને અલવિદા કહ્યું હતું. આ ઘરને પાછળથી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. ઘરમાં એક જૂનો બંક અને પલંગ છે. એક રૂમમાં લાકડામાંથી બનેલા બે કબાટ છે, જ્યારે ખેતીને લગતી કેટલીક વસ્તુઓ પણ છે. બીજા રૂમમાં ડાઇનિંગ ટેબલ અને કેટલાક વાસણો રાખવામાં આવ્યા છે.

ભગતસિંહના ઘરને હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા તેને સાચવીને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન સંસ્થા પાકિસ્તાનમાં ભગત સિંહ સાથે જોડાયેલી યાદોને સાચવવા માટે ઘણા વર્ષોથી કામ કરી રહી છે. એવું પણ કહેવાય છે કે લગભગ 124 વર્ષ પહેલા ભગત સિંહના દાદાએ અહીં આંબાના ઝાડનું વાવેતર કર્યું હતું, જે આજે પણ મોજૂદ છે.

Leave a Comment