અડાજણ ખાતે વધુ એક માસુમનો ભોગ ; એડમિશન ન મળતા કર્યો આપઘાત…

પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતાં અને ઘણાને માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ અડાજણના તબીબ યુવકને લાગી આવતા ફાંસો ખાઈ લીધો હતો.

અડાજણ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાનો વેપાર કરે છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નીટની પ્રીપેરેશન કરી હતી. જોકે સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થતાં તેમનું નામ ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા હતા અને સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતિ. આ મામલે અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

ડો. શ્રેયસની માતાએ જણાવ્યું હતું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું જેથી દુઃખી થઈને આવું પગલું ભર્યું હતું. સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે નીરાશ થઈ ગયો હતો.

Leave a Comment